પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.પરંતુ તેનાં ઔષધીય ગુણો પણ અનેક છે.શરદી,ખાંસી,તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી લાભદાયી સાબિત થાય છે.આયુર્વેદ પ્રમાણે સવારે ઊઠીને તુલસીના પાન ચાવીને હુંફાળુ પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તુલસીના પાન ચામાં નાખીને પીવાથી માથાનાં દુઃખાવામાં રાહત મળે છે. પીવાના પાણીમાં તુલસીના પાન નાંખી તેને ઊકાળી ઠંડું કરી પીવાથી તે પાણી બેક્ટેરિયા મુક્ત બની કુદરતી રીતે ફિલ્ટરનું કામ કરે છે અને કમળો,ટાઈફોઈડ જેવાં પાણી જન્ય રોગોથી બચાવે છે.ઘરની આસપાસ તુલસીનાં છોડ ઉગાડવાથી વાતાવરણ જતું મુકત અને વાઈરસ મુક્ત બને છે.દેશી ગાયના અળાયા છાણાં સાથે તુલસીના પાનનો ધૂપ કરવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ દૂર થાય છે.ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રોજ સવારે તુલસીના છોડમાં જળાભિષેક કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને બરકત જળવાઈ રહે છે. તુલસીનો છોડ વાતાવરણમાં પોઝિટિવ એનર્જી પ્રસરાવે છે.એને કારણે તુલસીના છોડનું ખૂબ જ મહત્વ છે.
મિત્રો..! આ બ્લોગમાં આપને નેચરલી લાઈફ સ્ટાઈલની સાથે સાથે આહાર,આરોગ્ય યોગ-પ્રાણાયામ,પ્રવાસ,સાહિત્ય,મનોરંજન જેવા વિવિધ વિષયોની માહિતી મળી રહેશે..
Comments
Post a Comment