મિત્રો,તમે ક્યાંક વાચ્યું હશે,સાંભળ્યું હશે કે,પ્રાચીન સમયમાં આપણા ઋષિ-મુનિઓ ખૂબ લાબું જીવન જીવતાં.સો,દોઢસો વર્ષ જીવવું એમનાં માટે રમત વાત હતી.અને આજનાં સમયમાં લાખોમાં એક વ્યક્તિ શતાયું થાય છે ત્યારે છાપામાં તે સમાચાર બનીને ચમકી જાય છે. કહેવાય છે કે જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે.પરંતુ જીવન મળ્યા પછી એને વ્યવસ્થિત રીતે જીવીને દીર્ઘાયુ ભોગવવું એ આપણા હાથમાં છે. કોઈપણ માણસ ધારે તો શતાયું થઈ શકે છે. પરંતુ તેના માટે દ્રઢ આત્મવિશ્વાસની સાથે સાથે રોજિંદા જીવનમાં બદલાવ લાવવો પણ એટલો જ મહત્વનો રોલ ભજવે છે. તો ચાલો જોઈએ શતાયું થવાના કેટલાક નૈસર્ગિક ઉપાયો વિશે. 1.લાબું જીવવાં માટેની જીજીવિષા કેળવો. "જીજીવિષા"એટલે જીવન જીવવાની ઈચ્છા. સ્વસ્થ અને નીરોગી રહીને લાંબું જીવન જીવવું છે એવો મનમાં દ્રઢ નિશ્ચય કરો અને એના માટેના પ્રયત્નો આદરો. 2. સંતુલિત આહાર. ઘડપણને જલદી લાવવામાં આહાર મુખ્ય ભાગ ભજવે છે જો તમારો આહાર સંતુલિત નહીં હોય તો ઘડપણ જલ્દી આવશે. સંતુલિત આહાર એટલે જેમાંથી શરીરને બધાં પ્રકારના પ્રોટીન્સ, કેલ્શિયમ,ચરબી, વિટામિન્સ,આર્યન,ફોસ્ફરસ વગેરે તમામ તત્વ મળે તે સંતુલિત આહાર...
યોગ અને પ્રાણાયામની જેમ વિવિધ યોગ મુદ્રાઓ પણ શરીર સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.આપણી યોગ પરંપરામાં ધ્યાન મુદ્રા,સૂર્ય મુદ્રા, વાયુ મુદ્રા, વરુણ મુદ્રા, પૃથ્વી મુદ્રા,શિવલિંગ મુદ્રા જેવી મુદ્રાઓ પ્રચલિત છે.જેને યોગ-પ્રાણાયામ કરતી વખતે નિયમ અનુસાર કરવાથી શારીરિક સ્વાસ્થ્ય નિરોગી રહે છે અને માણસને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.તો આવો આવી યોગ મુદ્રાઓ કઈ રીતે કરી શકાય અને તેના લાભો કયા છે તેના વિશે જાણીએ. 1.ધ્યાન મુદ્રા:- dhyan mudra અંગુઠાને તર્જની (અંગૂઠાની બાજુની આંગળી) અડાડો. દબાણ આપવાની જરૂર નથી. આમ કરવાથી મગજ શક્તિ વધે છે અને અનિંદ્રા તાણ દૂર થાય છે. 2. વાયુ મુદ્રા:- vayu mudra તર્જનીને વાળીને અંગૂઠા ના મૂળમાં શુક્રના પર્વત પર રાખો અને ચિત્રમાં દર્શાવ્યા મુજબ અંગૂઠાથી તેને દબાવી રાખો. આમ કરવાથી સંધિવા,પક્ષઘાત,ગઠિયો વા,કંપવા અને રક્ત પરિભ્રમણ માં રહેલી ખામી દૂર થાય છે વધારે સારા પરિણામ માટે આ મુદ્રા કર્યા પછી પ્રાણ મુદ્રા પણ કરવી. 3. શૂન્ય મુદ્રા:- shunya mudra મધ્યમાં (વચલી મોટી આંગળી) વાળીને શુક્રના પર્વત પર રાખો અને ચિત્રમાં દર્શાવ્યા...