Skip to main content

Posts

Traveling menegment

સો વર્ષ (hundred year) જીવવાનો ગુરુ મંત્ર

 મિત્રો,તમે ક્યાંક વાચ્યું હશે,સાંભળ્યું હશે કે,પ્રાચીન સમયમાં આપણા ઋષિ-મુનિઓ ખૂબ લાબું જીવન જીવતાં.સો,દોઢસો વર્ષ જીવવું એમનાં માટે રમત વાત હતી.અને આજનાં સમયમાં લાખોમાં એક વ્યક્તિ શતાયું થાય છે ત્યારે છાપામાં તે સમાચાર બનીને ચમકી જાય છે. કહેવાય છે કે જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે.પરંતુ જીવન મળ્યા પછી એને વ્યવસ્થિત રીતે જીવીને દીર્ઘાયુ ભોગવવું એ આપણા હાથમાં છે. કોઈપણ માણસ ધારે  તો શતાયું થઈ શકે છે. પરંતુ તેના માટે દ્રઢ આત્મવિશ્વાસની સાથે સાથે રોજિંદા જીવનમાં બદલાવ લાવવો પણ એટલો જ મહત્વનો રોલ ભજવે છે. તો ચાલો જોઈએ શતાયું થવાના કેટલાક નૈસર્ગિક ઉપાયો વિશે. 1.લાબું જીવવાં માટેની જીજીવિષા કેળવો. "જીજીવિષા"એટલે જીવન જીવવાની ઈચ્છા. સ્વસ્થ અને નીરોગી રહીને લાંબું જીવન જીવવું છે એવો મનમાં દ્રઢ નિશ્ચય કરો અને એના માટેના પ્રયત્નો આદરો. 2. સંતુલિત આહાર. ઘડપણને જલદી લાવવામાં આહાર મુખ્ય ભાગ ભજવે છે જો તમારો આહાર સંતુલિત નહીં હોય તો ઘડપણ જલ્દી આવશે. સંતુલિત આહાર એટલે જેમાંથી શરીરને બધાં પ્રકારના પ્રોટીન્સ, કેલ્શિયમ,ચરબી, વિટામિન્સ,આર્યન,ફોસ્ફરસ વગેરે તમામ તત્વ મળે તે સંતુલિત આહાર...
Recent posts

યોગ મુદ્રાઓ અને શરીર સ્વાસ્થ્ય

યોગ અને પ્રાણાયામની જેમ વિવિધ યોગ મુદ્રાઓ પણ શરીર સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.આપણી યોગ પરંપરામાં ધ્યાન મુદ્રા,સૂર્ય મુદ્રા, વાયુ મુદ્રા, વરુણ મુદ્રા, પૃથ્વી મુદ્રા,શિવલિંગ મુદ્રા જેવી મુદ્રાઓ પ્રચલિત છે.જેને યોગ-પ્રાણાયામ કરતી વખતે નિયમ અનુસાર કરવાથી શારીરિક સ્વાસ્થ્ય નિરોગી રહે છે અને માણસને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.તો આવો આવી યોગ મુદ્રાઓ કઈ રીતે કરી શકાય અને તેના લાભો કયા છે તેના વિશે જાણીએ.  1.ધ્યાન મુદ્રા:- dhyan mudra અંગુઠાને તર્જની (અંગૂઠાની બાજુની આંગળી) અડાડો. દબાણ આપવાની જરૂર નથી. આમ કરવાથી મગજ શક્તિ વધે છે અને અનિંદ્રા તાણ દૂર થાય છે.  2. વાયુ મુદ્રા:- vayu mudra તર્જનીને વાળીને અંગૂઠા ના મૂળમાં શુક્રના પર્વત પર રાખો અને ચિત્રમાં દર્શાવ્યા મુજબ અંગૂઠાથી તેને દબાવી રાખો. આમ કરવાથી સંધિવા,પક્ષઘાત,ગઠિયો વા,કંપવા અને રક્ત પરિભ્રમણ માં રહેલી ખામી દૂર થાય છે વધારે સારા પરિણામ માટે આ મુદ્રા કર્યા પછી પ્રાણ મુદ્રા પણ કરવી. 3. શૂન્ય મુદ્રા:- shunya mudra મધ્યમાં (વચલી મોટી આંગળી) વાળીને શુક્રના પર્વત પર રાખો અને ચિત્રમાં દર્શાવ્યા...

સ્વાસ્થ્ય વર્ધક ફળ કેરી

 કહેવાય છે કે,વિશ્વમાં કેરીની સાત હજાર કરતાં પણ વધારે જાતો છે.એમાંથી એકલાં ભારતમાં પાંચ હજાર જાતની કેરીઓ થાય છે.ભારત કેરીઓનો જન્મદાતા દેશ છે. મહાભારતમાં પણ કેરીનો ઉલ્લેખ મળે છે.કેરીની ખુબ જ જાણીતી વેરાયટીઓમાં રાજાપુરી,તોતાપુરી, દશેરી, કેસર,હાફૂસ, લંગડો, નિલમ,બદામ વગેરેનો સમાવેશ થાય છે.ભારતમાં દેશી કેરીની તો અઢળક જાતો છે.             જુનાગઢની કેસર કેરી રસ માટે જાણીતી છે.વલસાડની હાફૂસ વખણાય છે.રાજાપુરી અથાણાં માટે જાણીતી છે. તોતાપુરી કચુંબર માટે પ્રખ્યાત છે.          આયુર્વેદની દ્રષ્ટિએ પણ પાકી કેરીનું ખૂબ જ મહત્વ છે.પાકી અને મીઠ્ઠી કેરી લોહી શુદ્ધ કરનાર છે.કેરીમાં વિટામિન "A"ભરપૂર માત્રામાં રહેલું હોય આંખોના રોગોમાં ફાયદાકારક છે.કાચી લીલી કેરીની ચટણી ગરમીમાં લુ થી બચાવે છે.        પકવેલી કેરી કરતાં સાખ રૂપે પાકીને જાતે પડેલી કેરી અતિ ગુણકારી માનવામાં આવે છે.કાપેલી કેરી કરતાં ગોળીને ચુસેલી કેરી ગુણની દ્રષ્ટિએ ઉત્તમ છે.કેરીનો રસ હંમેશા સુંઠ, જીરું અને ઘી નાંખીને ખાવો જોઈએ, જેથી પચવામ...

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...

Depression thi bachavana upayo# ડિપ્રેશનથી બચવાનાં ઉપાયો

   આજકાલ દોડધામ ભરી વ્યસ્ત જિંદગીમાં લોકો ઝડપથી ડિપ્રેશનનો શિકાર બનતાં જાય છે.ડિપ્રેશન એ માણસે જાતે જ ઊભી કરેલી સમસ્યા છે.વધુ પડતું કામ, વધુ પડતી જવાબદારી, થાક, બેચેની, અસંતોષ, ઈર્ષા, અનિયમત જીવનશૈૈલી જેવાં અનેક કારણોને લીધે માણસ ટ્રેસ (તાણ) નો અનુભવ કરે છે.અને એ ટ્રેસ કે તાણ લાબાં ગાળે ડિપ્રેશનમાં ફેરવાઇ જાય છે.જેને પરિણામે વ્યક્તિ હતાશા કે લઘુતાગ્રંથી અનુભવે છે. ડિપ્રેશનથી બચવા સ્વસ્થ જીવન શૈલી અપનાવવી ખુબ જ જરૂરી છે.આ રહ્યાં ડિપ્રેશનથી બચવાના કેટલાંક મહત્વનાં પ્રાકૃતિક ઉપાયો.  (1) નકારાત્મક વિચારોથી દૂર રહો.  (2) જવાબદારીથી ભાગવાને બદલે જવાબદારી સ્વીકારતા શીખો.  (3) સમય સાથે કદમ મેળવીને ચાલો. (4) કરવાનાં કામોની યાદી બનાવો અને સમયસર કાર્ય પૂરું કરવાનો પ્રયત્ન કરો.  (5) કોઈપણ ધંધા કે બીઝનેસમાં પૈસાનું આંધળુ રોકાણ ન કરો.  (6) વધુ પડતું દેવું-કરજ ના કરો.  (7) બચતનું વ્યવસ્થિત આયોજન કરો.  (8) પ્રામાણિક અને નિષ્ઠાવાન બનો. (9) ભૂતકાળને ભૂલો.વર્તમાનમાં જીવો. (10) સારી ઊંઘ લો.ઓછામાં ઓછું આઠ કલાક ઘસઘસાટ ઊંઘો.  (11) સાત્વિક ભોજન અને યોગ્ય ડાયટ પ...

Healthy lifestyle # હેલ્ધી લાઈફ સ્ટાઈલ

   મિત્રો,શું તમે નિરોગી અને સ્વસ્થ રહીને જીવનનો આનંદ માણવા માંગો છો..? જો હા..! તો આ રહી કેટલીક ટીપ્સ જેને રોજિંદા જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરો.  (1) સવારે વહેલાં ઊઠો.પથારીમાં થોડીવાર રીલેક્સ થઈને બેસો.હાથની હથેળી અને પગનાં તળિયાનાં પોઈન્ટને હાથનાં અંગૂઠા વડે (એક્યુપ્રેશર આપો) દબાવો. (2) એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં લીબુંનો રસ સમપ્રમાણ મેળવી સવારે પીવામાં આવે તો આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.  (3) સવારે અડધો કલાક ચાલો. પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવો.હળવી કસરત,યોગ-પ્રાણાયામ વગેરે કરો.  (4) કસરત, યોગ-પ્રાણાયામ કર્યા પછી અડધા-પોણા કલાક પછી હૂંફાળા ગરમ પાણીથી સ્નાન કરો.  (5) સ્નાનાદિ કાર્ય પતાવીને,સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી દશ મિનિટ ઈશ્વરનું ધ્યાન ધરો. (6) એક કપ હર્બલ ટી આરામથી પીઓ.સાથે સાત્વિક નાસ્તો કરો.  (7) સાત્વિક અને આરોગ્યપ્રદ ભોજન લો.ફાસ્ટફૂડ ઓછું અથવા બની શકે તો તેને કાયમી તિલાંજલિ આપો. (8) નિયમિત અને સમયસર દરેક કાર્યને પૂર્ણ કરતાં શીખો. (9) હંમેશા સત્યના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો.ભ્રષ્ટાચારથી દૂર રહો...