હાસ્ય એ માણસના વ્યક્તિત્વને નીખારે છે.આકર્ષક અને ઉમદા બનાવે છે. હાસ્ય જીવનમાં અત્યંત જરૂરી છે. સુખ દુઃખ એ જીવનનો એક ભાગ છે. સુખમાં મનુષ્ય હાસ્યની છોડો ઉડાવે છે જ્યારે દુઃખમાં રડમસ ચહેરે બેસી રહે છે. પરંતુ આ બંને પરિસ્થિતિમાં જે હાસ્યને છોડતો નથી એ જ ખરી જિંદગીની મજા માણે છે. હાસ્ય જીવન જીવવાની શક્તિને રસાળ બનાવે છે. છોકરા છોકરીનું એક જ સ્મિત ઘણીવાર પ્રેમનું કારણ બની જતું હોય છે. જીવનની દરેક પરિસ્થિતિમાં હાસ્ય સાથે જીવનાર માણસ ગમે તેવા સંઘર્ષને પણ પાર પાડી શકે છે. મનુષ્ય આજના ભૌતિક સુખ સગવડ પાછળ એટલો બધો ઘેલો બન્યો છે કે, હસવાનું જ જાણે ભૂલી ગયો છે. પરિણામે ના છૂટકે હાસ્ય યોગા ક્લાસીસમાં ડોક્ટરની સલાહથી જવાનું ચાલુ કરે છે. હસવું એ કુદરતનું વરદાન છે એના માટે ક્લાસીસની જરૂર નથી.જે માણસ પોતાની નિષ્ફળતા પર હસી શકે છે તે જ ખરો દરિયા દિલ માણસ છે.
ગુસ્સાવાળો ચહેરો લઈને ફરનાર વ્યક્તિ ક્યારેય આકર્ષક લાગતો નથી. અતિક્રોધ એ મનુષ્યના આયુષ્ય ને ઓછું કરનાર છે. કોઈપણ સંજોગોમાં મનને શાંત રાખીને ગુસ્સો ન કરવો એ જ સાચી સમજદારી છે. ગુસ્સો કરનાર વ્યક્તિ અન્ય વ્યક્તિઓમાં આ પ્રિય થઈ પડતો હોય છે. વાતે વાતે ગુસ્સે થઈ જતો વ્યક્તિ ક્યારેક પોતાના જ કુટુંબીજનોની નજરો માંથી ઉતરી જતો હોય છે. ગુસ્સો કરનાર વ્યક્તિને હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગ ફ્રીમાં મળતો હોય છે. બહેતર છે કે 84 લાખના ચક્કર પછી મળેલો માનવ અવતાર હસી ખુશીમાં વિતાવ્યો જાય.પછી જુઓ ફરક પડે છે તમારા જીવનમાં...?
Comments
Post a Comment