આયુર્વેદ એ ઋગ્વેદ અને અથર્વવેદનો ઉપવેદ ગણાય છે. આયુર્વેદને આપણે ભારત દેશનું પ્રાચીન મહાન વિજ્ઞાન ગણી શકીએ.આયુર્વેદ એ એવો જ્ઞાન ભંડોળ છે કે જેનું જ્ઞાન વિશાળ સમુદ્રના ખારા જળને મીઠું મધુર સ્વાદિષ્ટ બનાવી ગાગરમાં ભરી ઘરે ઘર સુધી પહોંચાડી શકાય તેવું અમૂલ્ય છે.
આપણા ઋષિમુનિઓનો અમર વારસો એટલે આયુર્વેદ. આયુર્વેદ એ હજારો વર્ષોના અનુભવથી રચાયેલ ચિકિત્સા શાસ્ત્ર છે અને જીવનના પ્રત્યેક પાસાને સ્પર્શનાર વિશિષ્ટ વિજ્ઞાન છે. રોગને જળમૂળથી દૂર કરે છે. સાધ્ય રોગોને શોધન,સમન કે પથ્ય પદ્ધતિથી નિવારે છે. તેના ઔષધો સર્વત્ર સહેલાઈથી મળી શકે છે. વધુમાં તે હિતકર છે. સસ્તા અને નિર્દોષ છે. કોઈપણ જાતની આડઅસર વગરના છે. આયુર્વેદ શરીર બંધારણના ભોગે નહીં પણ બંધારણના રક્ષણ કરી રોગોને નિવારે છે. આયુર્વેદમાં આપેલ ઉપાયો,નિયમો,ઉપચારો સામાન્ય માણસને અનુકૂળ આવે તેવા છે.
આયુર્વેદ મુજબ દરેક વ્યક્તિએ તન મનથી સંપૂર્ણ સ્વસ્થ રહી સો. વિશાણુ છે તેમ માનવાને બદલે વાત,પિત, કફ એ ત્રણે દોષોની વિષમતા મુખ્ય કારણ છે એમ માને છે. આયુર્વેદ ઔષધો ઉપરાંત પથ્યાપથ્યને પણ માને છે.તે તપ અને સંયમ તેમજ ઉપવાસમાં માને છે. વિશાળ અર્થમાં આયુર્વેદ માનવ દેહમાં ચેતનને વસાવવાનું મંદિર માને છે.
આયુર્વેદના મુખ્ય છ ગ્રંથો...
1.ચરકગ્રંથિતા
2.સુશ્રુત સંહિતા
3. અષ્ટાંગ હૃદય
4. ભાવપ્રકાશ
5. માધવ નિદાન
6. શારંગધર
આયુર્વેદના આઠ અંગ...
1. કાયચિકિત્સા
2.શલ્યચિકિત્સા
3.શાલાક્યતંત્ર
4. બાલ્ય ચિકિત્સા
5. ગ્રહ બાધા
6.વિષતંત્ર
7.રસાયન
8. વાજીકરણ તંત્ર
Comments
Post a Comment