Skip to main content

Ayurveda/આયુર્વેદ...

         આયુર્વેદ એ ઋગ્વેદ અને અથર્વવેદનો ઉપવેદ ગણાય છે. આયુર્વેદને આપણે ભારત દેશનું પ્રાચીન મહાન વિજ્ઞાન ગણી શકીએ.આયુર્વેદ એ એવો જ્ઞાન ભંડોળ છે કે જેનું જ્ઞાન વિશાળ સમુદ્રના ખારા જળને મીઠું મધુર સ્વાદિષ્ટ બનાવી ગાગરમાં ભરી ઘરે ઘર સુધી પહોંચાડી શકાય તેવું અમૂલ્ય છે. 
         આપણા ઋષિમુનિઓનો અમર વારસો એટલે આયુર્વેદ. આયુર્વેદ એ હજારો વર્ષોના અનુભવથી રચાયેલ ચિકિત્સા શાસ્ત્ર છે અને જીવનના પ્રત્યેક પાસાને સ્પર્શનાર વિશિષ્ટ વિજ્ઞાન છે. રોગને જળમૂળથી દૂર કરે છે. સાધ્ય રોગોને શોધન,સમન કે પથ્ય પદ્ધતિથી નિવારે છે. તેના ઔષધો સર્વત્ર સહેલાઈથી મળી શકે છે. વધુમાં તે હિતકર છે. સસ્તા અને નિર્દોષ છે. કોઈપણ જાતની આડઅસર વગરના છે. આયુર્વેદ શરીર બંધારણના ભોગે નહીં પણ બંધારણના રક્ષણ કરી રોગોને નિવારે છે. આયુર્વેદમાં આપેલ ઉપાયો,નિયમો,ઉપચારો સામાન્ય માણસને અનુકૂળ આવે તેવા છે. 

         આયુર્વેદ મુજબ દરેક વ્યક્તિએ તન મનથી સંપૂર્ણ સ્વસ્થ રહી સો. વિશાણુ છે તેમ માનવાને બદલે વાત,પિત, કફ એ ત્રણે દોષોની વિષમતા મુખ્ય કારણ છે એમ માને છે. આયુર્વેદ ઔષધો ઉપરાંત પથ્યાપથ્યને પણ માને છે.તે તપ અને સંયમ તેમજ ઉપવાસમાં માને છે. વિશાળ અર્થમાં આયુર્વેદ માનવ દેહમાં ચેતનને વસાવવાનું મંદિર માને છે. 

આયુર્વેદના મુખ્ય છ ગ્રંથો...

1.ચરકગ્રંથિતા

2.સુશ્રુત સંહિતા

3. અષ્ટાંગ હૃદય

4. ભાવપ્રકાશ

5. માધવ નિદાન

6. શારંગધર

આયુર્વેદના આઠ અંગ... 

1. કાયચિકિત્સા

2.શલ્યચિકિત્સા

3.શાલાક્યતંત્ર

4. બાલ્ય ચિકિત્સા

5. ગ્રહ બાધા

6.વિષતંત્ર

7.રસાયન

8. વાજીકરણ તંત્ર




Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Organic Farming And Kitchen Gardnig/ઑર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ.."

   શું તમને ખબર છે..? તમારા રસોડામાં વપરાતી 90 ટકા શાકભાજી રાસાયણિક ખાતર અને વિવિધ જંતુ નાશક દવાઓથી યુક્ત છે.રોજબરોજ જાણતા અજાણતાં કેટલું ઝેર આપણે પેટમાં પધરાવીએ છીએ..! અને કેન્સર,હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ,ડાયાબિટીસ,આંખ,પેટ,વાળની સમસ્યા અને અકાળે વૃદ્ધત્વ જેવાં રોગોને આમંત્રણ આપીએ છીએ.      આ બધીજ સમસ્યાઓથી બચવા એક નવું કલ્ચર વિકસી રહ્યું છે..અને એ કલ્ચર છે, "ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનીંગ.."        ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતા દરેક પ્રકારના શાકભાજી,ફળ,ફૂલ,અનાજ,કઠોળ સંપૂર્ણ પણે રાસાયણિક ખાતર અને કેમિકલ યુક્ત પેસ્ટીસાઇડથી મુક્ત હોય છે.દરેકે દરેક વસ્તુ કુદરતી રીતે ઉગાડવામાં આવે છે.તમે અનુભવ કર્યો જ હશે કે આજકાલ બટાકા,ડુંગળી,કોબી,ફ્લાવર,ભીંડા જેવી શાકભાજી ઓ પોતાનો અસલ સ્વાદ ગુમાવી બેસી છે.આ પાછળનું કારણ છે,હાઈબ્રીડ બીજ અને રાસાયણિક ખાતર તેમજ જતુંનાશક દવાઓનો અતિરેક.       જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગમાં દેશી બીજ પર પ્રથમ પસંદગી ઉતારવામાં આવે છે.એ સાથે જ વર્મીકમ્પૉસ્ટ,સુકા પાંદડા,કોકોપીટ (નારીયેળના છોતરામાંથ...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...