કહેવાય છે કે,વિશ્વમાં કેરીની સાત હજાર કરતાં પણ વધારે જાતો છે.એમાંથી એકલાં ભારતમાં પાંચ હજાર જાતની કેરીઓ થાય છે.ભારત કેરીઓનો જન્મદાતા દેશ છે. મહાભારતમાં પણ કેરીનો ઉલ્લેખ મળે છે.કેરીની ખુબ જ જાણીતી વેરાયટીઓમાં રાજાપુરી,તોતાપુરી, દશેરી, કેસર,હાફૂસ, લંગડો, નિલમ,બદામ વગેરેનો સમાવેશ થાય છે.ભારતમાં દેશી કેરીની તો અઢળક જાતો છે.
જુનાગઢની કેસર કેરી રસ માટે જાણીતી છે.વલસાડની હાફૂસ વખણાય છે.રાજાપુરી અથાણાં માટે જાણીતી છે. તોતાપુરી કચુંબર માટે પ્રખ્યાત છે.
આયુર્વેદની દ્રષ્ટિએ પણ પાકી કેરીનું ખૂબ જ મહત્વ છે.પાકી અને મીઠ્ઠી કેરી લોહી શુદ્ધ કરનાર છે.કેરીમાં વિટામિન "A"ભરપૂર માત્રામાં રહેલું હોય આંખોના રોગોમાં ફાયદાકારક છે.કાચી લીલી કેરીની ચટણી ગરમીમાં લુ થી બચાવે છે.
પકવેલી કેરી કરતાં સાખ રૂપે પાકીને જાતે પડેલી કેરી અતિ ગુણકારી માનવામાં આવે છે.કાપેલી કેરી કરતાં ગોળીને ચુસેલી કેરી ગુણની દ્રષ્ટિએ ઉત્તમ છે.કેરીનો રસ હંમેશા સુંઠ, જીરું અને ઘી નાંખીને ખાવો જોઈએ, જેથી પચવામાં સરળ રહે છે.કેરીનો છુંદો અથવા મુરબ્બો ઉત્તમ ઔષધી માનવામાં આવે છે.ત્વચાને યુવાન રાખવામાં તે ગુણકારી છે.કાચી કેરીને ટુકડા કરી,તડકામાં સુકવી,વાટીને તેનું આમચૂર બનાવી શકાય છે અને વિવિધ વાનગીઓમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
Comments
Post a Comment