Skip to main content

સ્વાસ્થ્ય વર્ધક ફળ કેરી

 કહેવાય છે કે,વિશ્વમાં કેરીની સાત હજાર કરતાં પણ વધારે જાતો છે.એમાંથી એકલાં ભારતમાં પાંચ હજાર જાતની કેરીઓ થાય છે.ભારત કેરીઓનો જન્મદાતા દેશ છે. મહાભારતમાં પણ કેરીનો ઉલ્લેખ મળે છે.કેરીની ખુબ જ જાણીતી વેરાયટીઓમાં રાજાપુરી,તોતાપુરી, દશેરી, કેસર,હાફૂસ, લંગડો, નિલમ,બદામ વગેરેનો સમાવેશ થાય છે.ભારતમાં દેશી કેરીની તો અઢળક જાતો છે.

            જુનાગઢની કેસર કેરી રસ માટે જાણીતી છે.વલસાડની હાફૂસ વખણાય છે.રાજાપુરી અથાણાં માટે જાણીતી છે. તોતાપુરી કચુંબર માટે પ્રખ્યાત છે. 

        આયુર્વેદની દ્રષ્ટિએ પણ પાકી કેરીનું ખૂબ જ મહત્વ છે.પાકી અને મીઠ્ઠી કેરી લોહી શુદ્ધ કરનાર છે.કેરીમાં વિટામિન "A"ભરપૂર માત્રામાં રહેલું હોય આંખોના રોગોમાં ફાયદાકારક છે.કાચી લીલી કેરીની ચટણી ગરમીમાં લુ થી બચાવે છે.

       પકવેલી કેરી કરતાં સાખ રૂપે પાકીને જાતે પડેલી કેરી અતિ ગુણકારી માનવામાં આવે છે.કાપેલી કેરી કરતાં ગોળીને ચુસેલી કેરી ગુણની દ્રષ્ટિએ ઉત્તમ છે.કેરીનો રસ હંમેશા સુંઠ, જીરું અને ઘી નાંખીને ખાવો જોઈએ, જેથી પચવામાં સરળ રહે છે.કેરીનો છુંદો અથવા મુરબ્બો ઉત્તમ ઔષધી માનવામાં આવે છે.ત્વચાને યુવાન રાખવામાં તે ગુણકારી છે.કાચી કેરીને ટુકડા કરી,તડકામાં સુકવી,વાટીને તેનું આમચૂર બનાવી શકાય છે અને વિવિધ વાનગીઓમાં તેનો ઉપયોગ કરી શકાય છે. 


Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...

શિવલિંગ મુદ્રા / shivling mudra

 બંને હથેળીની બધી આંગળીઓ એકબીજામાં એવી રીતે ભીડો કે જમણા હાથનો અંગૂઠો ઉપરની બાજુએ રહે અને ડાબા હાથના અંગૂઠો ઊંચો રહે.તેમજ જમણા હાથના અંગૂઠા અને બાજુની આંગળી વડે તેને વીંટાળી લો. આ મુદ્રા શરદી-છાતીના રોગો-કફ વગેરે સામે પ્રતિકાર શક્તિ આપે છે. ફેફસાને બળ આપે છે. શરીરમાં ગરમી વધારી વધી ગયેલા કફને અને ચરબીને બાળી નાખે છે. આ મુદ્રા કરનારે દરરોજ પાણી,ફળોનો રસ વગેરે પ્રવાહી ખૂબ પ્રમાણમાં લેવું. આ મુદ્રા કરતી વખતે જો પ્રાણાયામ પણ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળી શકે છે.