Skip to main content

યોગ મુદ્રાઓ અને શરીર સ્વાસ્થ્ય

યોગ અને પ્રાણાયામની જેમ વિવિધ યોગ મુદ્રાઓ પણ શરીર સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.આપણી યોગ પરંપરામાં ધ્યાન મુદ્રા,સૂર્ય મુદ્રા, વાયુ મુદ્રા, વરુણ મુદ્રા, પૃથ્વી મુદ્રા,શિવલિંગ મુદ્રા જેવી મુદ્રાઓ પ્રચલિત છે.જેને યોગ-પ્રાણાયામ કરતી વખતે નિયમ અનુસાર કરવાથી શારીરિક સ્વાસ્થ્ય નિરોગી રહે છે અને માણસને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.તો આવો આવી યોગ મુદ્રાઓ કઈ રીતે કરી શકાય અને તેના લાભો કયા છે તેના વિશે જાણીએ. 

1.ધ્યાન મુદ્રા:- dhyan mudra

અંગુઠાને તર્જની (અંગૂઠાની બાજુની આંગળી) અડાડો. દબાણ આપવાની જરૂર નથી. આમ કરવાથી મગજ શક્તિ વધે છે અને અનિંદ્રા તાણ દૂર થાય છે. 


2. વાયુ મુદ્રા:- vayu mudra

તર્જનીને વાળીને અંગૂઠા ના મૂળમાં શુક્રના પર્વત પર રાખો અને ચિત્રમાં દર્શાવ્યા મુજબ અંગૂઠાથી તેને દબાવી રાખો. આમ કરવાથી સંધિવા,પક્ષઘાત,ગઠિયો વા,કંપવા અને રક્ત પરિભ્રમણ માં રહેલી ખામી દૂર થાય છે વધારે સારા પરિણામ માટે આ મુદ્રા કર્યા પછી પ્રાણ મુદ્રા પણ કરવી.


3. શૂન્ય મુદ્રા:- shunya mudra

મધ્યમાં (વચલી મોટી આંગળી) વાળીને શુક્રના પર્વત પર રાખો અને ચિત્રમાં દર્શાવ્યા મુજબ અંગૂઠા વડે દાબી રાખો. આમ કરવાથી કાનનો દુખાવો બહેરાપણું ચક્કર આવવા વગેરે તકલીફોમાં લાભ થાય છે. સારું પરિણામ મેળવવા આ મુદ્રા 40 થી 60 મિનિટ કરવી જરૂરી છે એમ તજજ્ઞો માને છે. 

4. પૃથ્વી મુદ્રા:-prithvi mudra

જે આંગળીમાં વીંટી પહેરીએ છીએ તે ત્રીજી આંગળી (અનામિકા) ચિત્રમાં દર્શાવ્યા  પ્રમાણે અંગૂઠાને અડાડો.આ મુદ્રા તન અને મનની નબળાઈ દૂર કરે છે.ચેતના વધારે છે.માંદા માણસને તાજગી બક્ષે છે અને મનને શાંતિ આપે છે. 

5. વરૂણ મુદ્રા:-varun mudra

કનિષ્ઠિકા (નાની આંગળી) ના અને અંગુઠા ના ટેરવાં ને ચિત્રમાં દર્શાવ્યા મુજબ અડાડો.આ મુદ્રા કરવાથી લોહીની અશુદ્ધિ દૂર થાય છે.ચામડીના રોગોમાં ફાયદો કરે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે.શરીરમાં પાણીનો ભરાવો કરનાર રોગો જેવા કે ગેસ્ટ્રો, એન્ટ્રીટીસ જેવાં રોગોમાં ફાયદો કરે છે. 

6.સૂર્ય મુદ્રા:-shurya mudra

અનામિકાને વાળો અને તેની બહારની બાજુએ બીજા વેઢા પર અંગૂઠા વડે દબાણ આપો.આ મુદ્રા શરીરમાં ગરમી વધારે છે. પાચનમાં મદદ કરે છે અને ચરબી ઘટાડે છે.


7.પ્રાણ મુદ્રા:- pran mudra

અનામિકા અને કનિષ્ઠિકા (છેલ્લી બે આંગળીઓ) ને વાળો જેથી. તેમનાં ટેરવાં અંગૂઠાના ટેરવાંને અડે.આ મુદ્રા કરવાથી જીવન શકિતમાં વધારો થાય છે,નર્વસપણું,થાક દૂર થાય છે.આંખ નું તેજ વધે છે અને ચશ્માં દૂર કરવામાં ઉપયોગી થાય છે. 

શિવલિંગ મુદ્રા:- shivling mudra

 બંને હથેળીની બધી આંગળીઓ એકબીજામાં એવી રીતે ભીડો કે જમણા હાથનો અંગૂઠો ઉપરની બાજુએ રહે અને ડાબા હાથના અંગૂઠો ઊંચો રહે.તેમજ જમણા હાથના અંગૂઠા અને બાજુની આંગળી વડે તેને વીંટાળી લો.

આ મુદ્રા શરદી-છાતીના રોગો-કફ વગેરે સામે પ્રતિકાર શક્તિ આપે છે. ફેફસાને બળ આપે છે. શરીરમાં ગરમી વધારી વધી ગયેલા કફને અને ચરબીને બાળી નાખે છે. આ મુદ્રા કરનારે દરરોજ પાણી,ફળોનો રસ વગેરે પ્રવાહી ખૂબ પ્રમાણમાં લેવું. આ મુદ્રા કરતી વખતે જો પ્રાણાયામ પણ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળી શકે છે. 


Comments

Popular posts from this blog

Traveling benefits# પ્રવાસ કરવાના ફાયદા

  મિત્રો,શું તમને પ્રવાસનો શોખ છે? જો હા.! તો આ બ્લોગ તમારાં માટે છે.આ બ્લોગમાં આપણે જાણીશું પ્રવાસ કરવાના કેટલા ફાયદાઓ (benefits)વિશે. (1) સાહસવૃત્તિ ખીલે છે.નવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે.  (2) નવી જગ્યા એક્સપ્લોર (explore) કરવાની તક મળે છે. (3) નવાં સ્થળો,નવાં પ્રદેશોનો ઇતિહાસ (history), ભાષા (language), સંસ્કૃતિ (calchar) વગેરેથી માહિતગાર થવાય છે.  (4) સ્થળ અને પ્રદેશ પ્રમાણે નવી વાનગીઓ,નવાં વ્યંજનોનો સ્વાદ માણવા મળે છે. (5) નવાં લોકો,નવી વ્યક્તિઓ સાથે પરિચય કેળવાય છે.  (6) પ્રાચીન કાળનાં ભવ્ય મંદિરો,સ્થાપત્યો, ચિત્રકલા, વાસ્તુકલા, સંગીતકલા,નૃત્યકલા,વગેરેને જોવાનો, જાણવાનો અને માણવાનો લાભ પ્રાપ્ત થાય છે.  (7) જીવન જીવવાની કળા (art of living) નો વિકાસ થાય છે.  (8) બે વસ્તુઓ વચ્ચેની તુલના કરવાની તુલનાત્મક શક્તિનો વિકાસ થાય છે.  (9) સારાં - નરસાં નો ભેદ પારખવાની દ્રષ્ટિ કેળવાય છે.  (10) ઈતિહાસ વિશે રસ-રૂચિ કેળવાય છે.  (11) પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનો અભિગમ કેળવાય છે.  (12) માનવ સ્વભાવને પારખવાની શકિતનો વિકાસ થા...

Organic Farming And Kitchen Gardnig/ઑર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ.."

   શું તમને ખબર છે..? તમારા રસોડામાં વપરાતી 90 ટકા શાકભાજી રાસાયણિક ખાતર અને વિવિધ જંતુ નાશક દવાઓથી યુક્ત છે.રોજબરોજ જાણતા અજાણતાં કેટલું ઝેર આપણે પેટમાં પધરાવીએ છીએ..! અને કેન્સર,હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ,ડાયાબિટીસ,આંખ,પેટ,વાળની સમસ્યા અને અકાળે વૃદ્ધત્વ જેવાં રોગોને આમંત્રણ આપીએ છીએ.      આ બધીજ સમસ્યાઓથી બચવા એક નવું કલ્ચર વિકસી રહ્યું છે..અને એ કલ્ચર છે, "ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક કિચન ગાર્ડનીંગ.."        ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવતા દરેક પ્રકારના શાકભાજી,ફળ,ફૂલ,અનાજ,કઠોળ સંપૂર્ણ પણે રાસાયણિક ખાતર અને કેમિકલ યુક્ત પેસ્ટીસાઇડથી મુક્ત હોય છે.દરેકે દરેક વસ્તુ કુદરતી રીતે ઉગાડવામાં આવે છે.તમે અનુભવ કર્યો જ હશે કે આજકાલ બટાકા,ડુંગળી,કોબી,ફ્લાવર,ભીંડા જેવી શાકભાજી ઓ પોતાનો અસલ સ્વાદ ગુમાવી બેસી છે.આ પાછળનું કારણ છે,હાઈબ્રીડ બીજ અને રાસાયણિક ખાતર તેમજ જતુંનાશક દવાઓનો અતિરેક.       જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગમાં દેશી બીજ પર પ્રથમ પસંદગી ઉતારવામાં આવે છે.એ સાથે જ વર્મીકમ્પૉસ્ટ,સુકા પાંદડા,કોકોપીટ (નારીયેળના છોતરામાંથ...

Skin care # સ્કીન કેર

શરીરની ત્વચાને વધતી ઉંમરે પણ યુવાન અને હેલ્ધી રાખવા માંગો છો..? તો આ રહી કેટલીક skin care (સ્કીન કેર) માટેની ટિપ્સ. (1) દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો. (૨) રાત્રે આઠ કલાકની ઘસઘસાટ ઊંઘ લો. (3) દરરોજ સવારે 8 થી 10 મિનિટ સુધી સવારે  સૂર્યના કુમળા તડકામાં ઊભા રહો. (4) બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો અથવા તો સન સ્ક્રીન લોશન લગાવી અને ગોગલ્સ પહેરીને નીકળો.  (5) સમપ્રમાણ સાત્વિક ભોજન લો.તળેલા મસાલેદાર તેલવાળા ખોરાકને તિલાંજલી આપો. (6) આહારમાં સલાડ અને ફળોનો ઉપયોગ વધારે કરો.  (7) લીલાં પાંદડાં વાળા શાકભાજી નો ઉપયોગ વધારે કરો.  (8) પ્રોટીન,વિટામિન્સ અને લોહતત્વયુક્ત ખોરાક લેવાનો આગ્રહ રાખો. (9) હંમેશા નેચરલી અને આયુર્વેદિક ફેસવોશ નો ઉપયોગ કરો. (10) કેમિકલ યુક્ત સાબુ નો ઉપયોગ ટાળો. (11) નિયમિત યોગ- પ્રાણાયામ અને  હળવી કસરત કરો.  (12) દિવસમાં એકવાર હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને   પીવાનું રાખો.  (13) સ્કીન માટેની કોઈપણ કેમિકલ યુક્ત પ્રોડક્ટને અનુસારવા નું  ટાળો. (14) ભેજવાળા વાતાવરણથી શરીરને બચા...