ભારતમાં યોગની શરૂઆત હજારો વર્ષ પહેલા થઈ હતી. "યોગાસન" શબ્દ બે શબ્દોનો બનેલો છે. "યોગ"અને "આસન." યોગાસનનો અભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત અને મજબૂત બને છે. તેનાથી મનની એકાગ્રતા પણ વધે છે અને શરીર જુદા જુદા રોગોથી મુક્ત થાય છે.
યોગાસન કરતાં પહેલાં ધ્યાનમાંં રાખવા જેવી અગત્યની સૂચનાઓ...
(1) આસનો સ્વચ્છ અને શાંત વાતાવરણમાં જ કરવા જોઈએ.હવાની અવરજવર હોય તેવો ખંડ, ખુલ્લુ મેદાન, બગીચો અથવા નદી કે તળાવ પાસે નો વિસ્તાર એ ઉત્તમ સ્થાન છે.
(2) બેસવા માટે સાદડી,જાજમ,ચાદર,રબરની મેટ્રેસ વગેરેનો ઉપયોગ કરી શકો છો.માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે એ વસ્તુ જેના પર લપસી જવાય એવી ના હોવી જોઈએ અને તે ગરમી અને વીજળીના વહનનો પ્રતિકાર કરી શકે એવી હોવી જોઈએ.
(3) સવારે વહેલા ઉઠો અને માત્ર પેટ સાફ કરીને તરત આસન કરો. તમારી અનુકૂળતા પ્રમાણે આસન કરતા પહેલા કે પછી સ્નાન કરી શકાય.
(4) આસન સવારે કરવા જોઈએ અથવા જમ્યાના ઓછામાં ઓછા ત્રણ ચાર કલાક પછી કરવા જોઈએ. આસન કરવા માટેનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે.
(5) આસન કરતી વખતે હળવા વસ્ત્રો પહેરો.
(6) આસન નિયમિતપણે કરવા જોઈએ.કોઈ કોઈ વાર કરવાથી તેનો ફાયદો મળતો નથી.
(7) યોગાસનનો શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સાથે જોડાયેલા હોવાથી તેનો પ્રથમ વખત પ્રારંભ કરતી વખતે બની શકે તો કોઈ યોગ્ય યોગા ટ્રેનરની સલાહ લેવી જોઈએ અથવા તો ધીરજ રાખીને આપ બળે પણ યોગાસનો શીખી શકાય છે.
Comments
Post a Comment