ધ્યાન એ ઈશ્વર પ્રાપ્તિની સૌથી નજીકની સ્થિતિ છે. ધ્યાનની સ્થિતિ સુખના પ્રદેશમાં વિહાર કરાવવા માટે સક્ષમ છે. માણસ પાસે દરેક વસ્તુ ઉપલબ્ધ હોવા છતાં જો સુખ ન હોય તો એ તમામ વસ્તુઓ નગણ્ય બની જાય છે. જીવનમાં શાંતિ એ સુખની ભૂમિકા બંધનારી સ્થિતિ છે. જે માણસ સંતોષ પ્રાપ્ત કરે એને સુખ અને શાંતિ આપોઆપ પ્રાપ્ત થાય છે. સંતોષી માણસ હંમેશા સુખી રહે છે જ્યારે અસંતોષી અને ઈર્ષાળુ માણસ ક્યારેય સુખનો અનુભવ કરી શકતો નથી.સુખ અને શાંતિ મનુષ્યના આસપાસના વાતાવરણમાં જ રહેલી છે. બસ એને શોધવાની તમન્ના હૃદયમાં હોવી જોઈએ.
કુટુંબ સાથે ઓછા બજેટમાં પણ આનંદથી રહેતો માણસ સુખી છે. જ્યારેેેેેે અત્યંત ધનવાન માણસ પણ કુટુંબ સાથે ઝઘડાળું બનીને રહેતો હોય તો તે બધું જ હોવા છતાં પણ દુઃખી છે. સુખ શોધવાની આવડત દરેક મનુષ્યને કુદરતે આપી જ હોય છે પરંતુ બધાને જ એ આવડતનો ઉપયોગ કરતા આવડતો ન હોય મોટાભાગના લોકો દુઃખનો અનુભવ કરતા હોય છે.
પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવનાર વ્યક્તિ ક્યારેય દુઃખનો અનુભવ કરતો નથી.વિશાળ આકાશ, નદીઓ,વહેતાં ઝરણા,લીલાછમ જંગલો,ઊંચા પર્વતો, ઉડતા પક્ષીઓ,રંગબેરંગી ફૂલો અને પતંગિયાઓ વગેરે પ્રકૃતિના તત્વો છે અને પ્રકૃતિના તત્વો હંમેશા સુખ આપનાર છે.
Comments
Post a Comment