આંખો એ આપણા શરીરનું રતન સમાન મૂલ્યવાન અંગ છે.એની વિશેષ કાળજી લેવી એ દરેક વ્યક્તિની અંગત ફરજ છે.તો ચાલો સંપૂર્ણ પ્રાકૃતિક રીતે આખોનું જતન કઈ રીતે કરવું તેની માહિતી મેળવીએ...
(1) દિવસમાં પાંચ-છ વાર આંખોને સ્વચ્છ ઠંડા પાણીથી હળવી છાલક મારીને ધોવી જોઈએ.
(2) પ્રોટીન અને વિટામિન યુકત આહાર લેવો.
(3) ઓર્ગેનિક વેજીટેબલ્સ અને ફ્રુટ્સનો ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરવો.
(4) તીખાં અને મસાલેદાર ખોરાકનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો લેવો.
(5) ટીવી સમપ્રમાણ ડિસ્ટન્સ રાખીને જોવું.
(6) કોમ્પ્યુટર સ્ક્રીન સામે લાબાં સમય સુધી બેસવાનું થાય તો પણ તેમાંથી સમય કાઢીને એક મિનિટ સુધી નજરને બીજે ઠેકાણે નજર સ્થિર કરવી.
(7) ત્રિફળા (આમળા બહેડાં અને હરડે) ચૂર્ણને આખી રાત પાણીમાં પલાળી રાખી સવારે એ પાણીને સ્વચ્છ કપડાંથી ગાળીને એનાં વડે આંખો ધોવી.
(8) શિયાળામાં સવારે ઝાકળ વાળા ઘાસમાં ખુલ્લાં પગે ચાલવું.
(9) આંખોને હાથો વડે દબાણ આપીને ક્યારેય ચોળવી
નહીં.
(10) બહાર બાઈક લઈને ફરવા નીકળો ત્યારે હંમેશા ગોગલ્સ કે હેલમેટ પહેરવાનું રાખો જેથી આંખોમાં ધૂળ વગેરે જવાનો ખતરો ઓછો રહે.
(11) સૂર્યનાં સીધાં કિરણો આંખમાં ન પડે તેનું ધ્યાન રાખવું.
(12) નિયમિત યોગ-પ્રાણાયામ અને હળવી કસરત કરવી.
(13) વાંચતી-લખતી વખતે પૂરતો ઉજાસ હોય તેનું ધ્યાન રાખવું.
(14) આંખને લગતા કોઈપણ રોગમાં હંમેશા આંખનાં ડોક્ટરની સલાહ લેવી.
Comments
Post a Comment