મિત્રો,વરસાદની મોસમ જામી ચૂકી છે.વર્ષાઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે જે આંખોને હળવાશ અને ઠંડક બક્ષનારુ હોય છે. પરંતુ તે સાથે વર્ષાઋતુમાં આરોગ્યની કાળજી રાખવી પણ વિશેષ જરૂરી બની જાય છે. તો આવો વર્ષાઋતુમાં આપણું આરોગ્ય સાજું-નરવું રહે તે માટેના કેટલાક આયુર્વેદમાં સૂચવેલા ઉપાયોને ધ્યાનમાં લઈએ.
(1) પહેલા ખાધેલો ખોરાક જ્યારે પછી ત્યારે જ જમવું એટલે કે ભૂખ લાગે ત્યારે જ જમવું.
(2) ખોરાક હંમેશા તાજો અને ગરમ લેવાનો આગ્રહ રાખો વાસી ખોરાક ટાળો.
(3) અનાજમાં જુના ચોખા કે જુના ઘઉંનો ઉપયોગ કરો જે પચવામાં સરળ રહે છે.
(4) શાકભાજી કે કઠોળના વઘાર વખતે મેથી,હિંગ,જીરું,લસણ કઢી લીમડો જેવા મસાલાનો ઉપયોગ કરો જે મંદાકિનીને જગાડે છે.
(5) શાકભાજીમાં ભીંડી,દૂધી,તુરીયા વગેરે લેવાનો આગ્રહ રાખો.
(6) પાંદડા વાળી લીલી શાકભાજીઓનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરો અને કરો તો ગરમ પાણીમાં થોડીવાર સાફ કરીને એને ઉપયોગમાં લો.
(7) દેશી ગાયનાં ઘી નો ઉપયોગ જમવામાં કરો તો વધારે સારું.
(8) વર્ષાઋતુમાં દહીંનો ઉપયોગ બની શકે તો ટાળો અથવા સવારે લો.રાત્રે આરોગ્ય માટે હિતાવહ નથી.
(9) પાણી ઉકાળીને ઠંડું કર્યા પછી અથવા હુંફાળુ પીવાનો આગ્રહ રાખો.
(10) જમ્યા પછી મીઠું પાન ખાવ જેનાથી પાચન શક્તિ વધે છે.
(11) બની શકે તો અઠવાડિયે એકવાર ઉપવાસ કરો.
Comments
Post a Comment