(17) ભૂખના જેવો બીજો કોઈ શત્રુ નથી.ખાવા ન મળે તો કોઈ જીવ જીવી શકે નહીં.ભૂખ લાગે ત્યારે ખાવું જ જોઈએ.
(18) નિર્ધન માણસની એની પોતાની પત્ની પણ અવજ્ઞા કરતી હોય છે.કારણ કે ઘરનું પોષણ કેવી રીતે કરવું એની ચિંતા પત્નીએ કરવાની રહે છે.
(19) નીચ માણસ પાસે વિદ્યા લેવા જવું નહીં.તે ગમે તેવો શિક્ષિત હોય પણ એની વૃદ્ધિ ખરાબ હોય તો એવા ની પાસે જઈ વિદ્યા લેવાની મનાઈ સૂચવાય છે.
(20) ભલે કુળવાન ન હોય,પણ જો વિનીત-શિક્ષિત-સંસ્કારી હોય તો કુલિન કરતાં પણ વિશિષ્ટ બની રહે છે.
(19) ઝેરમાંથી જો અમૃત મળતું હોય તો એ સ્વીકારવું.ગુણદર્શી થવા સાથે પારકાના ઉત્તમ ગુણો સ્વીકારવામાં દોષ નથી.
(20) આળસુ માણસ શાસ્ત્રોનો અભ્યાસ કરી શકતો નથી. આળસુ માણસની જડતા એને કોઈ પણ જાતનું સત્કર્મ કરવા પણ દેતી નથી.વાસ્તવિક રીતે બુદ્ધિએ પણ એ જડ બની રહ્યો હોય છે.
(21) કદી લુચ્ચાઈને પડખે જવું નહિ.શઠ-ખળ-લુચ્ચો એવો માણસ તદ્દન અધમ કોટિનું સ્થાન સાચવનાર છે.લોકો આવા માણસોનો વિશ્વાસ ન કરે એમ આ સૂત્ર કહે છે.
(22) દુર્જન લોકોની સાથે ભાગીદારી રાખવી નહિ.જો દુર્જનને રવાડે ચડ્યા તો આપણે પણ લોકોની નજરમાં દુર્જન ગણાઈએ.
(23) દુષ્ટ વચનો બોલવાથી કુળને હાનિ પહોંચે છે.ખરાબ વાણી બોલવાથી કુળને લગાવાની સ્થિતિમાં નાખી દે છે.
Comments
Post a Comment