મિત્રો,શું તમે નિરોગી અને સ્વસ્થ રહીને જીવનનો આનંદ માણવા માંગો છો..? જો હા..! તો આ રહી કેટલીક ટીપ્સ જેને રોજિંદા જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરો.
(1) સવારે વહેલાં ઊઠો.પથારીમાં થોડીવાર રીલેક્સ થઈને બેસો.હાથની હથેળી અને પગનાં તળિયાનાં પોઈન્ટને હાથનાં અંગૂઠા વડે (એક્યુપ્રેશર આપો) દબાવો.
(2) એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં લીબુંનો રસ સમપ્રમાણ મેળવી સવારે પીવામાં આવે તો આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.
(3) સવારે અડધો કલાક ચાલો. પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવો.હળવી કસરત,યોગ-પ્રાણાયામ વગેરે કરો.
(4) કસરત, યોગ-પ્રાણાયામ કર્યા પછી અડધા-પોણા કલાક પછી હૂંફાળા ગરમ પાણીથી સ્નાન કરો.
(5) સ્નાનાદિ કાર્ય પતાવીને,સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી દશ મિનિટ ઈશ્વરનું ધ્યાન ધરો.
(6) એક કપ હર્બલ ટી આરામથી પીઓ.સાથે સાત્વિક નાસ્તો કરો.
(7) સાત્વિક અને આરોગ્યપ્રદ ભોજન લો.ફાસ્ટફૂડ ઓછું અથવા બની શકે તો તેને કાયમી તિલાંજલિ આપો.
(8) નિયમિત અને સમયસર દરેક કાર્યને પૂર્ણ કરતાં શીખો.
(9) હંમેશા સત્યના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો.ભ્રષ્ટાચારથી દૂર રહો.
(10) પરિસ્થિતિ અનુસાર ઢાળવાનો પ્રયત્ન કરો.
(11) ડિપ્રેશનને ક્યારેય નજીક ન આવવા દો.તેનાંથી દૂર રહેવાની કળા શીખો.
(12) સારાં પુસ્તકો,ફિલ્મો અને ગીતો સાંભળો.
(13) સમય ફાળવી ફરવા જાવ,નવાં નવાં સ્થળોની મુલાકાત લો.
(14) ફળ,ફૂલ,શાકભાજી વગેરેનો ગાર્ડન તૈયાર કરો.
(15) ઓફિસનું કામ સમયસર પૂર્ણ કરો.
(16) સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયને નિહાળો.
(17) મિત્રો સાથે કોઈ સારાં વિષય પર ચર્ચા કરો.
(18) રમતગમતને પોતાના જીવનમાં સ્થાન આપો.
(19) ચહેરા પર સ્મિત રાખો.
(20) ઈશ્વર,બ્રહ્માંડ અને જગતને પોતાની બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરો.
Comments
Post a Comment